આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ BAPS સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગરના કોઠારીશ્રી પૂ. ધર્મચિંતનદાસજી સ્વામી અને સ્નેહીમિત્ર શ્રી હિતેશભાઈ સોનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.આવા ધાર્મિક આયોજનો દ્વારા આત્મશુદ્ધિ થવા ઉપરાંત સમાજમાં સકારાત્મકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનો પણ પ્રસાર થાય છે.પરમાત્મા […]

સુરેન્દ્રનગર BAPS મંદિરના નૂતન નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપનનો પાવન પ્રસંગ

અત્યંત ગર્વ અને આધ્યાત્મિક આનંદ સાથે આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગરના નૂતન મંદિર નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા તેમજ સ્તંભ પૂજન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પાવન પ્રસંગે પૂજ્ય નારાયણમુનિ સ્વામી (સાળંગપુર) ના શુભાશિષ પ્રાપ્ત થયા. આ અવસરે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્ય શ્રી બ્રિજેશજી મેરજાની પ્રેરક ઉપસ્થિતિ રહી. […]

શ્રી રામ કથા પ્રસંગે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનમાં નિમણૂંક બદલ શુભાશિષ

શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ દ્વારા આયોજિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કથા પ્રસંગે પ.પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં હાજરી આપવાનો અવસર મળ્યો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અને મોટા મંદિર લીંબડી સેવકગણ દ્વારા પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લી. માં મારી ડિરેક્ટર તરીકેની નિમણૂંક બદલ શુભાશિષ પ્રાપ્ત થયા.

સાયલા ખાતે શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિતિ અને સંતોના શુભાશિષનો પાવન પ્રસંગ

સાયલા (ભગતનું ગામ) ખાતે શ્રી લાલપીઠાધીશ્વરાચાર્ય મહંતશ્રી દુર્ગાદાસ બાપુ ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ દ્વારા પ્રેરિત શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો અને પૂજ્ય સંતોના શુભાશિષ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી દિપાલીબેન દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું મનનીય રસપાન કરાવવામાં આવ્યું. આ પાવન પ્રસંગે મહામંડલેશ્વર પરમ પૂજ્યશ્રી લલિતકિશોરશરણજી બાપુ, ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, […]