શ્રી રામ કથા પ્રસંગે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનમાં નિમણૂંક બદલ શુભાશિષ

શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ દ્વારા આયોજિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કથા પ્રસંગે પ.પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં હાજરી આપવાનો અવસર મળ્યો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અને મોટા મંદિર લીંબડી સેવકગણ દ્વારા પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લી. માં મારી ડિરેક્ટર તરીકેની નિમણૂંક બદલ શુભાશિષ પ્રાપ્ત થયા.

સાયલા ખાતે શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિતિ અને સંતોના શુભાશિષનો પાવન પ્રસંગ

સાયલા (ભગતનું ગામ) ખાતે શ્રી લાલપીઠાધીશ્વરાચાર્ય મહંતશ્રી દુર્ગાદાસ બાપુ ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ દ્વારા પ્રેરિત શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો અને પૂજ્ય સંતોના શુભાશિષ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી દિપાલીબેન દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું મનનીય રસપાન કરાવવામાં આવ્યું. આ પાવન પ્રસંગે મહામંડલેશ્વર પરમ પૂજ્યશ્રી લલિતકિશોરશરણજી બાપુ, ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, […]

મારા સ્નેહીમિત્ર અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદિપભાઈ વસ્તાણી અને ગજાનંદ યુવા ગ્રુપ શક્તિનગર દ્વારા શ્રી વિઘ્નવિનાયક દેવ ગણપતિ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે આયોજીત ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને બટુક ભોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ પ્રભાતફેરી રામધુન દ્વારા આયોજીત મર્યાદા પુરષોતમ શ્રી રામ કથા પ્રસંગે વકતાશ્રી પ. પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજના શુભાશિષ પ્રાપ્ત થયા.

આજરોજ રાજ્યસ્તરીય ફી રીવીઝન કમિટીના મારા સાથી સદસ્ય શ્રી સરતાનભાઈ દેસાઈ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.