આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ BAPS સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગરના કોઠારીશ્રી પૂ. ધર્મચિંતનદાસજી સ્વામી અને સ્નેહીમિત્ર શ્રી હિતેશભાઈ સોનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.આવા ધાર્મિક આયોજનો દ્વારા આત્મશુદ્ધિ થવા ઉપરાંત સમાજમાં સકારાત્મકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનો પણ પ્રસાર થાય છે.પરમાત્મા […]

સુરેન્દ્રનગર BAPS મંદિરના નૂતન નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપનનો પાવન પ્રસંગ

અત્યંત ગર્વ અને આધ્યાત્મિક આનંદ સાથે આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગરના નૂતન મંદિર નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા તેમજ સ્તંભ પૂજન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પાવન પ્રસંગે પૂજ્ય નારાયણમુનિ સ્વામી (સાળંગપુર) ના શુભાશિષ પ્રાપ્ત થયા. આ અવસરે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્ય શ્રી બ્રિજેશજી મેરજાની પ્રેરક ઉપસ્થિતિ રહી. […]